સરસ્વતી સન્માન સમારોહ
શ્રી મુન્દ્રા લોહાણા યુવક મંડળ દ્વારા મહાજનશ્રી ના સાનિધ્ય માં છેલ્લા અઢી દાયકા થી જ્ઞાતિના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવે છે.જેમાં કેજી થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ ને પોતે મેળવેલ માર્કસ ના મેરિટ ધોરણે યુવક મંડળ દાતાશ્રી ઓ ના સહયોગ થી આ વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે,તેમજ મંડળની પ્રણાલી મુજબ કચ્છ તેમજ બહાર ના સમાજના હોદ્દેદારો,શૈક્ષણિક તજજ્ઞોને બોલાવી તેઓનું પણ સમાજ અને મંડળ દ્વારા સન્માન કરવામાં આવે છે,અને જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ તેમની પાસે થી ઉચ્ચશિક્ષણ અને સામાજિક જ્ઞાન સભર માહિતી મેળવે છે,તથા વિશિષ્ટ કારર્કિદી મેળવનાર જ્ઞાતિના ભાઈ બહેનોનું આ મંચ ઉપર વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે.તેમજ જ્ઞાતિ ની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે.